112
સજ્જનનું સુખ
યહોવાહની સ્તુતિ કરો.
જે યહોવાહને માન આપે છે,
જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે;
ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે*.
જે માણસ કૃપા રાખીને આપે છે,
તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.
કેમ કે તે કદી પડશે નહિ;
ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
તે ખરાબ સમાચારથી ગભરાતો નથી;
તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
તેનું હૃદય શાંત છે,
તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે;
તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.
10 દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે;
તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે;
દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
* 112:4 112:4 ઈશ્વર કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે 112:9 112:9 તે સામર્થી અને મહાન બનશે