114
નિર્ગમન સમયે પ્રભુનાં આશ્ચર્ય-કૃત્યો
જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું,
એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,
ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન,
અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.
સમુદ્ર તે જોઈને નાસી ગયો;
યર્દન પાછી હઠી.
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.
અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો?
યર્દન નદી, તું કેમ પાછી હઠી?
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
હે પૃથ્વી, પ્રભુની સમક્ષ,
યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.
તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું,
મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.